Thursday, 30 May 2013

ઘરેલુ હિંસા અને તેમાં થતી સજાઓ

ઘરેલુ હિંસા અને તેમાં થતી સજાઓ
 
લો ફોર લેડીઝ - ડો. અમી યાજ્ઞિાક
 
ઘરેલુ હિંસાના કાયદા પ્રમાણે કોઈ મહિલા હિંસાખોર સાથે લોહીસંબંધ, લગ્નસંબંધ, લગ્ન જેવા સંબંધ ધરાવતી હોય અથવા સંયુક્ત કુટુંબમાં સભ્ય તરીકે સાથે રહેતી હોય તેવી બહેનો, વિધવાઓ, માતાઓ, અપરિણીત મહિલા આ કાયદા હેઠળ ફરિયાદ કરી શકે છે. આ કાયદો ઘરેલુ હિંસાનો ભોગ બનેલી મહિલાઓના લાભાર્થે ઘડવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ પીડિત વ્યક્તિ મહિલા જ સંભવી શકે અને પુરુષ આનો લાભ મેળવવા આ કાયદા નીચે અસમર્થ છે. આ કાયદા નીચે મહિલા ઉપર ઘરના સભ્યો તથા ઘરેલુ સંબંધ ધરાવતી વ્યક્તિ દ્વારા થતી શારીરિક હિંસા, માનસિક હિંસા, શાબ્દિક તથા ભાવનાત્મક હિંસા અને આર્િથક હિંસાનો પણ સમાવેશ થાય છે.


આ કાયદાનુસાર અદાલત પીડિતાને 'રહેઠાણ હુકમ', 'ભરણપોષણનો હુકમ', 'બાળકની કસ્ટડીનો હુકમ', 'વળતરનો હુકમ' અને 'વચગાળાનો હુકમ' કરી શકે છે. ફરિયાદ દાખલ થયા બાદ બંને પક્ષની વાત સાંભળ્યા બાદ અદાલતને પ્રથમ દૃષ્ટિએ એવી ખાત્રી થાય કે ઘરેલુ હિંસા થઈ છે અથવા થવાની સંભાવના છે તો અદાલત મહિલાની તરફેણમાં 'રક્ષણ હુકમ' પસાર કરી મહિલાને તાત્કાલિક રાહત આપી શકે છે. તેવી જ રીતે બંને પક્ષને સાંભળ્યા પછી મહિલાને ઘરમાંથી બહાર કાઢતાં સામેવાળાને અટકાવી 'રહેઠાણનો હુકમ' આપી શકે છે. મહિલાને જ્યારે પણ હિંસા સહન કરવાની આવે છે ત્યારે તેને સાસરીમાંથી બહાર કાઢી મૂકવામાં આવતી હોય છે, પરંતુ આ કાયદાનુસાર મહિલા જે ઘરમાં રહેતી હોય ત્યાં રહેવા માટેનો 'રક્ષણ હુકમ' આપી શકાય છે. બંને પક્ષની દલીલો સાંભળતી વખતે અદાલત મહિલા કે તેના બાળક માટે ઉચ્ચ રકમ અથવા માસિક ભરણપોષણ આપવા માટેનો 'ભરણપોષણનો હુકમ' પણ કરી શકે છે. અદાલત રક્ષણ હુકમ કરતી વખતે કે કેસની સુનાવણીના કોઈ પણ તબક્કે મહિલાને પોતાનાં બાળકોની હંગામી કસ્ટડી આપી 'બાળકની કસ્ટડીનો હુકમ' કરી શકે છે. તેમજ અદાલત ઘરેલુ હિંસાને કારણે થતો માનસિક ત્રાસ અને ભાવનાત્મક ત્રાસ સહિતની ઈજા માટે વળતર અને નુકસાનની ભરપાઈ કરવા માટે 'વળતરનો હુકમ' કરી શકે છે. આ કાયદા નીચે સૌથી અગત્યની વાત તો એ કે કાર્યવાહીના કોઈ પણ તબક્કે મેજિસ્ટ્રેટ વચગાળાનો હુકમ પણ કરી શકે છે.


રક્ષણ અધિકારીને જરૂરી લાગે તો પોલીસની મદદ લઈ અદાલતના હુકમનું અમલીકરણ કરાવી મહિલાને પોતાના ઘરમાં રહેવા, બાળકની કસ્ટડી અપાવવાનો, વળતર ચુકવણી નિશ્ચિત કરાવી શકે. રક્ષણ હુકમ અથવા વચગાળાના રક્ષણ હુકમનો ભંગ થાય તો મહિલા લેખિતમાં અદાલત સમક્ષ ફરિયાદ કરી કોઈ પણ સમયે રક્ષણ અધિકારીની મદદ માગી શકે છે. આ કાયદામાં રક્ષણ હુકમ અથવા વચગાળાના રક્ષણ હુકમનો ભંગ કરનારને સજા અને દંડની પણ જોગવાઈ છે.          


(લેખિકા જાણીતાં ધારાશાસ્ત્રી છે.)
 
 
 
Source : http://sandesh.com/article.aspx?newsid=130694
 

સ્ત્રીને રક્ષણ આપતો '૪૯૮(ક)'નો કાયદો

સ્ત્રીને રક્ષણ આપતો '૪૯૮(ક)'નો કાયદો
 
લો ફોર લેડીઝ - ડો. અમી યાજ્ઞિક
 
 
પરિણીત સ્ત્રીઓ પર સાસરિયાંમાં ઘણો ત્રાસ ગુજારવામાં આવતો હોય છે. તેનાં કારણો ઘણાં હોઈ શકે. જેમ કે, સ્ત્રીને બાળકો ન થાય તો ત્રાસ આપવો, સંતાનમાં પુત્રપ્રાપ્તિ ન થાય તો ત્રાસ આપવો, સ્ત્રી ન ગમે તેમજ મા-બાપના ઘરેથી પૈસા ન લાવે તો ત્રાસ આપવો. ત્રાસ એટલે મેણાંટોણા મારવાં, ખરાબ વર્તન કરવું અને શારીરિક માર મારવો. આવા કિસ્સાઓ જ્યારે ખૂબ વધી ગયા છે ત્યારે સ્ત્રીના રક્ષણ માટે ૧૯૮૩માં ભારતીય ફોજદારી ધારામાં કલમ ૪૯૮(એ)નો ઉમેરો કરવામાં આવ્યો. આ કલમની જોગવાઈ મુજબ કોઈ પણ વ્યક્તિ જે કોઈ સ્ત્રીના પતિ કે પતિનાં સગાં હોય તે તેવી સ્ત્રી પ્રત્યે ક્રૂરતા આચરે અને તે ગુનો પુરવાર થાય તો તે વ્યક્તિને ત્રણ વર્ષ સુધીની કેદની સજા તથા દંડ બંને થાય.


આ કલમમાં સૌથી અગત્યનો શબ્દ છે 'ક્રૂરતા'. આ કલમ પ્રમાણે ક્રૂરતાની વ્યાખ્યા એટલે પતિ કે તેનાં સગાંવહાલાં દ્વારા ઈરાદાપૂર્વક કરેલ એવા પ્રકારનું વર્તન જે સ્ત્રીને આત્મહત્યા કરવા પ્રેરે અથવા સ્ત્રીના શરીરને ગંભીર પ્રકારની ઈજા પહોંચાડે અથવા એવો માનસિક કે શારીરિક ત્રાસ ગુજારે કે જેથી સ્ત્રીનું આરોગ્ય, જિંદગી અથવા શરીરનો કોઈ અવયવ ભયમાં મુકાય. ત્રાસ એટલા માટે ગુજારાતો હોય છે કે સ્ત્રી અથવા તેનાં કોઈ સગાં જેમ કે, મા-બાપ કે ભાઈ દબાણથી કોઈ મિલકત કે કીમતી દસ્તાવેજ માટેની કોઈ પણ ગેરકાયદેસરની માંગણી પૂરી કરે. આવી ક્રૂરતા કે ત્રાસ માનસિક કે શારીરિક હોઈ શકે છે. કેટલીક વાર સ્ત્રીને સતત અપમાનિત કરવામાં આવતી હોય છે જેમ કે, સ્ત્રીને મેણાંટોણાં મારી માનસિક ત્રાસ આપવામાં આવતો હોય છે. પતિ તેની સાથે સહવાસ કરવાનો ઈન્કાર કરતો હોય, સાસુ અને નણંદ દ્વારા સતત અપમાનિત થતી હોય, પુત્ર સંતાનને જન્મ નથી આપી શકતી તેવાં મેણાંટોણાં સહન કરતી હોય, તેના ચારિત્ર્ય વિશે જેમ ફાવે તેમ ટોણાં મારતા હોય તો આ બધાં જ કૃત્યોને ક્રૂરતા ગણી લેવામાં આવે છે. આ કલમ માત્ર પતિ કે તેના સગાંને જ લાગુ પડે છે.

અગત્યની વાત છે કે આ કલમમાં પતિનાં સગાં કોણ તે જણાવેલ નથી, પરંતુ સામાન્ય રીતે પતિનાં સગાંમાં પતિનાં માતા-પિતા, બહેન, ભાભી વગેરેનો સમાવેશ થાય છે એટલે ૪૯૮(ક) નીચેની ફરિયાદ જ્યારે થતી હોય છે ત્યારે તેમાં ત્રાસ ગુજારનારામાં બધાં જ સગાંનો સમાવેશ કરવામાં આવતો હોય છે. ઘણાં કેસમાં કોર્ટે ઠરાવ્યું છે કે પરિણીતાને ઘરની ચાર દીવાલોમાં જ ત્રાસ આપવામાં આવે છે તેથી તેમાં ઘરના બધા જ સદસ્યો વિરુદ્ધ ફરિયાદ થઈ શકે તે સ્વાભાવિક છે. આ કલમ પ્રમાણે સ્ત્રી પ્રત્યે ક્રૂરતા આચરવામાં આવી હતી તેવું અનુમાન ના કરી શકાય. ત્રાસ આચરેલો તે સાબિત કરવું જરૂરી છે.      


 (લેખિકા જાણીતાં ધારાશાસ્ત્રી છે.)

 
 


વૈકલ્પિક તકરાર નિવારણ વ્યવસ્થા

વૈકલ્પિક તકરાર નિવારણ વ્યવસ્થા
 
લો ફોર લેડીઝ - ડો. અમી યાજ્ઞિક


આજની પરિસ્થિતિ જોઈએ તો કોર્ટમાં કેસ લડતાં લડતાં મહિલાઓ થાકી જાય છે અને ન્યાયની લડાઈ પૂરી થતાં પહેલાં છોડી દે છે. મહિલાઓને ઝડપી અને બિનખર્ચાળ ન્યાય મળી રહે તે માટે તેણે વૈકલ્પિક તકરાર નિવારણ વ્યવસ્થાનો લાભ લેવો જોઈએ.

આ પ્રથા મહિલાઓને ખાસ ઉપયોગી થઈ શકે છે જેઓને કૌટુંબિક તકરારો હોય છે, લગ્ન અંગેની તકરાર હોય છે અને ખાસ કરીને જ્યાં લગ્નને લગતાં પ્રશ્નોમાં બાળકોનો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે. આવી તકરારના બે પક્ષકારોને જ્યારે વૈકલ્પિક તકરાર નિવારણ કેન્દ્રમાં કોઈ મધ્યસ્થી જેને 'મીડિયેટર' કહેવામાં આવે છે તેની પાસે મોકલવામાં આવે તો તેમને કેસનાં બધાં જ પાસાં સમજાવીને એ કેસનો નિવેડો ત્વરિત લાવી શકાય છે. પક્ષકારો જ્યારે સામસામે બેસીને પોતાના મનની વાત રજૂ કરે છે અને મધ્યસ્થી જ્યારે તેમને સમજાવે છે ત્યારે ઘણી વાર પક્ષકારો સરળતાથી સમજીને સમાધાન કરી લેતા હોય છે. આ વ્યવસ્થામાં વાતાવરણ હળવું હોય છે અને બંને પક્ષકારોને પોતાની બધી જ રજૂઆતો સામસામે કરવાની અને યોગ્ય લાગે તો બાંધછોડ કરવાની તેમજ બંનેને એ સમાધાનથી સંતોષ મળે તો જ કેસનો અંત લાવી શકે છે. જો તમને મધ્યસ્થી જે કહે કે સમજાવે તે અનુકૂળ ન આવે તો કોર્ટમાં જવા માટે રસ્તો ખુલ્લો જ હોય છે. આ વૈકલ્પિક તકરાર નિવારણ કેન્દ્રો કોર્ટના પ્રાંગણમાં જ હોય છે અને કોઈ પણ વ્યક્તિ આ વ્યવસ્થાનો લાભ થઈ શકે છે. આ પ્રથાને આજના સમયમાં વિકસાવવી ખૂબ આવશ્યક છે અને સરકાર પણ આ સંદર્ભે ખૂબ પ્રયત્નશીલ છે. દરેક કોર્ટમાં વૈકલ્પિક તકરાર નિવારણ કેન્દ્રો બનાવવામાં આવ્યાં છે જ્યાં પક્ષકારો જઈ શકે છે. તેમના પ્રશ્નો અને કેસનું નિવારણ આવે તે માટે સમાધાનની પ્રક્રિયા કોઈ મધ્યસ્થી અથવા ત્રાહિત પક્ષ દ્વારા કરવામાં આવતી હોય છે.


વૈકલ્પિક તકરાર નિવારણ દ્વારા સમસ્યાનો ઉકેલ ઝડપથી આવતો હોય છે અને ખર્ચની પણ બચત થતી હોય છે. આ વૈકલ્પિક વ્યવસ્થામાં જે મધ્યસ્થી હોય છે તે તકરારના ક્ષેત્રના નિષ્ણાત હોય છે અને સમસ્યાને વધુ સારી રીતે સમજી તેનો સારો અને સરળ રીતે નિવેડો લાવવા કાર્ય કરતા હોય છે. દરેક મહિલાએ જેને કોઈ કેસનો ઉકેલ લાવવો હોય તો તેમણે આ 'મિડિએશન' પ્રક્રિયાનો લાભ લેવો જોઈએ.


(લેખિકા જાણીતાં ધારાશાસ્ત્રી છે.)



Source : http://sandesh.com/article.aspx?newsid=161836



Sunday, 26 May 2013

૪૯૮(ક) ને લગતી માહિતી પુસ્તિકા

ભારતીય દંડ સંહિતા ની કલમ ૪૯૮(ક) - દહેજ અને શારીરિક માનસિક ત્રાસ ને લગતું  ઘણું ખરું લખાયું છે અને ઘણી માહિતી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે પણ તેમાંથી મોટે ભાગની માહિતી અંગ્રેજી માં છે. આ કલમ ને લગતી માહિતી ગુજરાતી માં નીચે ની વેબસાઈટ પર આપવામાં આવેલી છે ,

૪૯૮(ક) માહિતી પુસ્તિકા




Karmanye Vadhikaraste Ma Phaleshu Kada Chana

Karmanye Vadhikaraste, Ma phaleshou kada chana,
Ma Karma Phala Hetur Bhurmatey Sangostva Akarmani
This verse is from the Bhagawad Gita, where Arjuna was not willing to fight the Epic war of Mahabhaarat and Krishna explains to him to perform his duties.




The hindi translation is as follows:

कर्म करना तो तुम्हारा अधिकार है, लेकिन उसके फल पर कभी नहीं|
कर्म को फल की इच्छा से कभी मत करो, तथा तेरा कर्म ना करने में भी कोई आसक्ति न हो|

Let’s see what does this mean:
Karmanye Vadhikaraste, Ma phaleshou kada chana - You have the right to perform your actions, but you are not entitled to the fruits of the actions.
Ma Karma Phala Hetur Bhurmatey Sangostva Akarmani – Do not let the fruit be the purpose of your actions, and therefore you won’t be attached to not doing your duty.

This message was from the Lord Krishna to Arjun during the Epic War of Mahabhaarat when Arjun was not willing to fight, given that he had opposite of him, all those persons he considers to be his own. Arjun says to Krishna, what’s the use of fighting against my own for just a piece of land. What happiness will I get by slaying my dear ones? The ones on the other sides are my own uncle, my cousin. Won’t I be committing a sin? What will I get by killing all of them. Instead I would have preferred that they kill me here itself.

Then Krishna explains to him about his duties. The above verse, which is among the most famous verse in Mahabhaarat, is one of those explanation he has given.

Let us study the context :

In this case Krishna tells Arjun that no matter what is the result of the war, he should not be worried about it. His duty is to fight, then he has to fight. He wins or loses that is not important. Even if he dies during the war, he will attain heaven because he has correctly performed his duty.

Now coming to the second phrase of the above verse, Krishna also advises Arjun that he should never let the fruit be the purpose of his action, in this case the action is his fight and the fruit is either he wins or loses. In other words he is not supposed to worry about victory or defeat. Either one wins or loses, he must be neutral about it.

In simple terms it means: Keep on performing your duties without being attached to the result of your actions. Either you get something or you don’t get anything, you should not worry about it. You should have a neutral behaviour.

Well let us relate that in our context as a human being:

As an example:

A student – His duty is to study, he passes or fails that’s not in his control. The student does not study just for the sake of passing his exams. When he studies, he learns. Whether he pases or fails he should not be too happy or too sad about it.

If ever a student studies for the sole purpose of passing his exams, in the end he has not learned anything even if he has passed. But if he studies because he considers learning and studying as his duty, he won’t even need to be worried whether he will pass or fail. And such a student as we have always seen they are most likely to pass their exams. Unless they are not able to reach their exam for some reason. But still he should not be sad about it. Why? Because the most important is at least he performed his duty well.

We can also relate this to selflessness:

When we help someone, we don’t do it for the sake of something in return, whether we are rewarded for our actions or not, this is not our concern. And when we help someone without worrying about our own gains, this is selflessness. We don’t think what are we going to get from that. The importance is that as a human being we have been able to help someone.

Note: In Bhagavad Gita, As It Is, By Swami Prabhupada, the part Ma Karma Phala Hetur Bhur means, never to consider ourselves to be the cause of the result of our activities.This is right too, because when we consider ourselves to be the cause of the result of our actions, we will be tempted to be attached to that result. So when we do something we are not supposed to take the credit for the fruit of our action. We consider that it is our duty, so we did it.

Today how many of us really believe in this principle? What does this verse means to us today?

For me this verse has a really great meaning in my life. Well I would like to know about my other friends here, really think about this verse.


**Src : http://pramoduniverse.com/philosophy/karmanye-vadhikaraste-ma-phaleshu-kada-chana/